જામનગર : "નો સ્કૂલ નો ફી" નાં નારા સાથે NSUI ના કાર્યકરોનો વિરોધ, પોલીસે કરી 8ની અટકાયત

Update: 2020-09-28 17:02 GMT

જામનગર એનએસયુઆઈ દ્વારા આજે સ્કૂલ ફી ઉઘરાવવાના વિરોધમાં રસ્તા ચક્કાજામ કરી “નો સ્કૂલ નો ફી” ના નારા લગાવવામાં આવ્યા હતા. જ્યાં હાજર પોલીસે એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

ગુજરાત એનએસયુઆઇ દ્વારા આજરોજ સમગ્ર ગુજરાતમાં સ્કૂલ ફી મુદે વિરોધ દર્શાવવામાં આવ્યો જે અંતર્ગત જામનગર એનએસયુઆઇ દ્વારા જામનગરના ડિકેવી સર્કલ ખાતે “નો સ્કૂલ નો ફી” ના નારા સાથે રસ્તા રોકો આંદોલન કરી ચક્કાજામ કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનની પોલીસને જાણ થતાં પોલીસ દ્વારા એનએસયુઆઇના આઠ જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

Similar News