ટેકનિકલ ખામીના કારણે અટકી મોનોરેલ, ક્રેઇનથી બહાર કઢાયા મુસાફરો

Update: 2016-08-01 10:12 GMT

મુંબઇમાં ટેકનિકલ ખામીના કારણે સોમવારે સવારે 6:30 વાગ્યે ભક્તિ પાર્ક પાસે અટકી ગઇ હતી. જેમાં લગભગ અડધો કલાક સુધી યાત્રીઓ ફસાયેલા હતા. ત્યારબાદ ક્રેઇન દ્વારા યાત્રીઓને બહાર કાઢવામાં આવ્યા હતા.

વડાલાથી નીકળેલી ટ્રેન ભક્તિ પાર્ક પાસે આવીને અટકી ગઇ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ એન્જિનનો પાવર ફેલ થઇ જતાં ટ્રેન અટકી ગઇ હતી. ફસાયેલી ટ્રેનને હટાવવા માટે બીજી ટ્રેની મદદ લેવામાં આવી હતી. દેશની પહેલી મોનોરેલ તરીકે જાણીતી ટ્રેન વડાલા અને ચેમ્બુર વચ્ચે ચાલે છે.

ઉલ્લેખનીય છે કે માર્ચ 2015માં પણ અપૂરતી વિજળીના કારણે ત્રણ કલાક માટે ફસાઇ ગઇ હતી. તેમજ બધા મુસાફરોને ફાયરબ્રિગેડ બોલાવી મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

Similar News