દહેજ મેઘમણી ચોકડી પર કન્ટેનર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવાનોના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા.
તારીખ 24મીની રાત્રીએ જોલવા થી બાઇક લઈને ઉપેન્દ્રકુમાર યાદવ અને ત્રિલોકદાસ ઉર્ફે વિક્રમસિંહ મૂળ રહે મધ્યપ્રદેશનનાઓ દહેજ ગામ તરફ જઇ રહ્યા હતા. તે સમય મેંઘમણી ચોકડી પરથી પસાર થતા પુરપાટ ઝડપે આવતા કન્ટેનરે બાઇકને અડફેટમાં લેતા સર્જાયેલા અકસ્માતમાં ઘાયલ થયેલા બન્ને બાઇક સવાર યુવાનોના સ્થળ પરજ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.
અકસ્માત સર્જી કન્ટેનરનો ચાલક બનાવ સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અંગે દહેજ પોલીસે અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ પી.આઈ. બી.એલ.ગોહિલ કરી રહ્યા છે.