દેશનાં પેટ્રોલ પંપ ડિલર્સોએ આગામી તારીખ 13 ઓક્ટોબરે એક દિવસીય હડતાલનું એલાન કર્યુ છે. પોતાની વિવિધ માંગણીઓ સંદર્ભે પેટ્રોલ પંપ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
ઓલ ઈન્ડીયા પેટ્રોલિયમ ડિલર્સ અધ્યક્ષ અજય બંસલે જણાવ્યુ કે, 13 ઓક્ટોબરે 24 કલાક માટે પેટ્રોલ પંપ બંધ રહેશે. સાથે તેમણે જણાવ્યું કે, જો તેલ કંપનીઓ દ્વારા સંતોષકારક જવાબ ન મળ્યો તો 27 ઓક્ટોબરથી તમામ પેટ્રોલ પંપ અનિશ્ચિત સમય માટે હડતાળ પર જશે.