દેશવાસીઓને 71માં સ્વતંત્રતા પર્વ પ્રસંગે સંબોધિત કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

Update: 2017-08-14 14:34 GMT

દેશના નવનિયુક્ત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રથમવાર 71માં સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને સંબોધિત કર્યા હતા, અને રાષ્ટ્રીય પર્વની શુભેચ્છા પાઠવી હતી.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંબોધનમાં નોટબંધી, સ્વચ્છ ભારત, ન્યુ ઇન્ડિયા, બેટી બચાવો બેટી પઢાઓ સહિતની બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. રાષ્ટ્રપતિ કોવિંદે જણાવ્યુ હતુ કે સમાજે એવું બનવુ જોઈએ કે ભવિષ્ય તરફ ખુબજ ઝડપથી આગળ વધે અને સાથે સાથે દેશ માટે સંવેદનશીલ પણ રહે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્વતંત્રતાનાં 70 વર્ષ પુરા થવાના અવસર પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.

Similar News