દિલ્હીમાં યોજાયેલા સાહિત્ય સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ સંબોધનમાં જણાવ્યુ હતુ કે પદ્માવતી ફિલ્મને લઈને હિંસક ધમકીઓ આપવી અને શારીરિક સ્વરૂપે કોઈને હાનિ પહોંચાડવા માટે ઈનામની જાહેરાત લોકતંત્રમાં સ્વીકાર્ય નથી અને તે અયોગ્ય છે.
વધુમાં ઉપરાષ્ટ્રપતિ નાયડુએ દેશમાં કાયદાનાં શાસનનાં અનાદર મુદ્દે ચેતવણી આપી હતી. અને જણાવ્યુ હતુ કે કેટલીક ફિલ્મો અંગે સમસ્યા સર્જાઈ છે. કેટલાક લોકોને એવું લાગે છે કે તેમણે કોઈક ધર્મ અથવા સમુદાયની લાગણીને હાનિ પહોંચાડી છે અને આ કારણે તેઓ દેખાવો યોજી રહ્યા છે.