પાનોલી ઔદ્યોગિક વસાહત ખાતેની ઓહમ ડાયકેમમાં તારીખ 5મી ફેબ્રુઆરી સોમવારનાં રોજ સવારે બે કામદારોને ઝેરી ગેસની અસર થઇ હતી, અને બંને શ્રમજીવીઓનાં કરુણ મોત નિપજ્યા હતા.
પાનોલી ઔદ્યોગિક વસાહતનાં પ્લોટ નંબર 517 ખાતેની ઓહમ ડાયકેમમાં સવારે બે કામદારો રીએક્ટર સાફ કરવાની કામગીરી કરી રહ્યા હતા, અને તે દરમિયાન નરેશ દરબારી ગોડ અને સુનિલ મિલન ગોડનાં ઓ ને ઝેરી ગેસની અસર થઇ હતી, જેના કારણે બંનેની તબિયત લથડતા બંનેનાં કરુણ મોત નિપજ્યા હતા, અને કામદારોનાં મૃતદેહોને જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
બનાવ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.