સુરતનો ભદ્રેશા પરિવાર દ્વારકા પોતાનાં દીકરાનાં લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને નવવધૂ સાથે પરત ફરી રહ્યા હતા, ત્યારે ભરૂચ નજીક નબીપુર પાસે તેઓની બસ ટ્રક સાથે ભટકતા અકસ્માત સર્જાયો હતો, અને વરરાજા સંજયનાં પિતા તુલસીભાઇ,માતા ગીતાબેન અને ફૂવાજી તેમજ દુલ્હન હિમાનીનાં કરુણ મોત નિપજ્યા હતા.