ભરૂચમાં ધોળેદાડે હાથનો કસબ અજમાવીને ચોરીને અંજામ આપતા તસ્કરો

Update: 2017-10-05 14:17 GMT

ભરૂચ ઝાડેશ્વર રોડને અડીને આવેલ એક મકાનને તસ્કરોએ ધોળેદાડે નિશાન બનાવીને ચોરીને અંજામ આપ્યો હતો.અને અંદાજીત રૂપિયા 7 લાખની માલમત્તાની ચોરી કરીને તસ્કરો ફરાર થઇ ગયા હોવાનું જાણવા મળ્યુ છે.

ભરૂચ ઝાડેશ્વર રોડને અડીને આવેલ જનકપુરી 1નાં બી / 15 બંગ્લોઝમાં રહેતો પરિવાર બપોરનાં સમયે ઘર બંધ કરીને બહાર ગયા હતા,આ તકનો લાભ લઈને તસ્કરોએ તેઓનાં ઘરને ટાર્ગેટ બનાવ્યું હતુ.અને ઘરનાં દરવાજાનો નકુચો તોડીને ચોર ઘરમાં પ્રવેશ્યા હતા.

તસ્કરોએ ઘરમાં કબાટ તેમજ પેટી પલંગનો સામાન વેરવિખેર કરી નાખીને અંદાજીત 250 ગ્રામ સોનાનાં દાગીનાં અંદાજીત કિંમત રૂપિયા 7 લાખની માલમત્તાની ચોરીને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યુ છે.

ભરૂચ પોલીસ દ્વારા ઘટના અંગે ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે.

Tags:    

Similar News