AIDS જેવા ગંભીર રોગથી કઈ રીતે મુક્તિ મળી શકે તે માટે માર્ગદર્શન અપાયું
વિશ્વ એઇડસ દિવસ નિમિત્તે એઇડસના રોગ અંગે ભરૂચના સ્ટેશન નજીક માર્ગદર્શન
પુરુ પાડવામાં આવ્યું હતું
૧ ડિસેમ્બરને વિશ્વ એઇડસ દિન તરીકે મનાવવામાં આવે છે. ભરૂચ રેલ્વે સ્ટેશન
સ્થિત ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી તથા નરોત્તમ લાલભાઈ રૂરલ ડેવલોપમેન્ટ
ફંડ દહેજના સંયુક્ત ઉપક્રમે વિવિધ એનજીઓ સંસ્થાઓના ઉપક્રમે ટીબી તેમજ એચઆઈવી
જાગૃતિ અંગે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં જાહેર જનતાને લીફલેટ વહેંચી ટીવી અને એચઆઇવી અંગે જાગૃતિ ફેલાવવાનો
પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તબીબો સહિત નિષ્ણાંતો
ઉપસ્થિત રહ્યા હતા.