ભરૂચ: મોડી રાત્રે ઝાડેશ્વર માર્ગ ઉપર બાઈક ગરનાળામાં ખાબકતા બે યુવાનોના સ્થળ પર જ મોત

Update: 2019-03-11 12:19 GMT

ભરૂચ થી ઝાડેશ્વર જવાના માર્ગ પર મોડી રાત્રે બાઈક ગરનાળામાં ખાબકતા બે યુવાનોના સ્થળ પર કરૂણ મોત નિપજ્યા હતા.

ભરૂચ સી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સાહિલ સુરેશ બારીયા ઉ વ ૧૯ અને જીગ્નેશ સુરેશ વસાવા ઉ વ ૧૭ બંન્ને રહે. મક્તમપુર, ભરૂચ પોતાની નવી અને નંબર વગરની પલ્સર મોટર સાયકલ પર ઝાડેશ્વર તરફથી આવી રહ્યા હતા. ત્યારે ઐયપ્પા મન્દિર પાસે નાળામાં મોટર સાયકલ ખાબકતા ગંભીર ઇજાના પગલે બને કિશોરોના સ્થળ પર મોત નિપજ્યા હતા.આ બનાવ અંગે સી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટના નજીક ના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી.

Similar News