મુંબઈ વાનખેડે સ્ટેડીયમમાં ભારત - વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ખરાખરીનો જંગ જામશે

Update: 2016-03-31 08:40 GMT

મુંબઈના વાનખેડે સ્ટેડીયમમાં 31મી માર્ચ સાંજના 7:30 કલાકથી ટી -20 વર્લ્ડ કપ માટેની ભારત - વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે સેમીફાઈનલ મુકાબલો રમાશે. ભારત તરફથી વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલીયા સામેની કોર્ટર ફાઈનલ મેચમાં વિરાટ ઇનિંગ રમીને ભારતને વિજય ટીમ બનાવી હતી. ભારત તરફથી વિરાટ કોહલી અને વેસ્ટ ઇન્ડીઝ માંથી ક્રીસ ગેઈલ ટીમના મહત્વના બે મુખ્ય ગેમ ચેન્જર તરીકે ઓળખાય છે. ત્યારે વાનખેડે સ્ટેડિયમની પીચ પણ બેટિંગ વિકેટ હોય રનોના ઢગલા થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે અને આજની મેચમાં પણ ભારતની ટીમ હોટ ફેવરીટ માનવામાં આવે છે

Similar News