વૈષ્ણોદેવી : ભેખડ ઘસતાં ૪ શ્રદ્ધાળુના મોત ૨૫ થી વધુ ઘાયલ

Update: 2018-07-15 15:07 GMT

જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં વૈષ્ણોદેવી જઇ રહેલ શ્રદ્ધાળુઓ ઉપર ભેખડ ધસી પડી. આ અકસ્માતમાં ચાર શ્રદ્ધાળુઓના મોત થયા હતા.જ્યારે 25થી વધુ ઘાયલ થયા હતા.

મળતી માહિતી પ્રમાણે વૈષ્ણો દેવી જઇ રહેલ શ્રદ્ધાળુ રસ્તામાં એક ઝરણા પાસે ન્હાવા માટે રોકાયા હતા. ઝરણમાં ન્હાતા હતા ત્યારે જ શ્રદ્ધાળુઓની ઉપર ભેખડ ધસી પડી. તેમાં ચાર શ્રદ્ધાળુઓના મોત થયા. જ્યારે 25થી વધુ શ્રદ્ધાળુ ઘાયલ થયા છે. તમામને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

અકસ્માત બાદ તરત જ સ્થળ પર સેના અને પોલીસના જવાન પહોંચ્યા હતા , તેમણે ઘાયલોને તરત જ હોસ્પિટલ પહોંચાડ્યા હતા ,રાજ્યમાં છેલ્લાં કેટલાંક મહિનાથી વરસાદ પડી રહ્યો છે. આશંકા વ્યક્ત કરી રહ્યાં છીએ કે વરસાદના લીધે આ ભેખડ ધસી પડી છે. શ્રદ્ધાળુઓની ઉપર ભારે પથ્થર પડતાં દોડધામ મચી ગઇ હતી.

Similar News