સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશી માંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે ત્યારે ઉત્તરાયણ શરૂ થાય છે. ત્યારે વાત તહેવારની હોઈ અને તે તહેવારની મજા માણવામા જો રાજકોટ વાસીઓ ઉણ ઉતરે તેમા કેમ ચાલે. ત્યારે રાજકોટમા આવેલ આઈપીએસ અને આઈએએસ અધિકારીઓએ પણ ઉતરાયણ પર્વની મજા માણી હતી.
ત્યારે આઈપીએસ અધિકારી અને રાજકોટ શહેર પોલિસ કમિશ્નર તરીકે ફરજ બજાવતા અનુપમ સિંહ ગહલૌતે કનેકટ ગુજરાતના તમામ દર્શકોને હેપી ઉતરાયણ અને સેફ ઉતરાયણની શુભકામનાઓ પાઠવી હતી.