અંકલેશ્વર: કોરોના મહામારીમાં લોકોના આરોગ્ય માટે ગુજરાત કર્મકાંડ મંચ દ્વારા અભિષાત્મક લઘુરુદ્ર યોજાયો

New Update
અંકલેશ્વર:  કોરોના મહામારીમાં  લોકોના આરોગ્ય માટે ગુજરાત કર્મકાંડ મંચ દ્વારા અભિષાત્મક લઘુરુદ્ર યોજાયો

અંકલેશ્વર પંચાટી બજાર ભરૂચી નાકા સ્થિત રતનેશ્વર મહાદેવ મંદિરે વિશ્વભરમાંથી કોરોના મહામારીનો વિનાશ થાય અને જન જનનું આરોગ્ય સારૂં રહે તે માટે અભિષેકાત્મક લઘુરુદ્રનું આયોજન કરાયું હતું.ગુજરાત કર્મકાંડ મંચ ગૃપ, અંકલેશ્વર તાલુકા તરફથી પ્રકાશ જોશી તથા પ્રણવ જોશી દ્વારા સવારે 8. 00 કલાકે વિશ્વ કલ્યાણ અને લોક આરોગ્યની ભાવના સાથે યોજાયેલ લઘુરુદ્રનો મોટી સંખ્યામાં ભુદેવોએ હાજર રહી લ્હાવો લીધો હતો જેમાં કોરોના સહિત દરેક મહામારી માંથી મુક્તિ સાથે લોકોના મંગલ સ્વાસ્થ્યની કામના કરવામાં આવી હતી.