-
અંકલેશ્વર નજીક નર્મદા મૈયા બ્રિજ નીચેનો બનાવ
-
કીચડમાંથી નવજાત શિશુનો મળ્યો મૃતદેહ
-
સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની ટીમને કરાય જાણ
-
મૃતદેહને કિચડમાંથી બહાર કઢાયો
-
બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજની નીચે કિચનમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવવાની ઘટના સામે આવી છે. નદીમાં કિચડમાં ફસાયેલ મૃતદેહ સ્થાનિકોએ જોતા આ અંગે તેઓએ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરી હતી. ધર્મેશ સોલંકી અને તેમની ટીમે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને કીચડમાંથી બહાર કાઢ્યો હતો. આ અંગેની જાણ થતાની સાથે જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબજો મેળવી તપાસ શરૂ કરી છે. કોઈ નિષ્ઠુર જનેતાએ તેનું પાપ છુપાવવા આ કૃત્ય કર્યું છે કે કેમ તે સહિતની દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
