-
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
-
કોંગ્રેસ દ્વારા આયોજન કરાયું
-
પંડિત નહેરુની જન્મજયંતિની ઉજવણી
-
દિવ્યાંગ બાળકો સાથે ઉજવણી કરાય
-
કોંગ્રેસના આગેવાનો જોડાયા
અંકલેશ્વર: કોંગ્રેસ દ્વારા દિવ્યાંગ બાળકો સાથે પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિની ઉજવણી
જીનવાલા સ્કૂલમાં આવેલ રોટરી શૈશવ દિવ્યાંગ શાળા ખાતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પંડિત જવાહરલાલ નેહરૂની જન્મ જયંતિ અને બાળ દિવસની ઉજવણી કરવામાં આવી ગુજરાત | સમાચાર |
અંકલેશ્વરની જીનવાલા સ્કૂલમાં આવેલ રોટરી શૈશવ દિવ્યાંગ શાળા ખાતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પંડિત જવાહરલાલ નેહરૂની જન્મ જયંતિ અને બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આજે 14 નવેમ્બર ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાલાલ નેહરૂ જન્મદિવસ અને બાળ દિવસ ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલના પટાંગણમાં આવેલ રોટરી શૈશવ દિવ્યાંગ શાળામાં દિવ્યાંગ બાળકો સાથે જવાહરલાલ નેહરુ જન્મ જ્યંતી અને બાળ દિવસની ઉજવણી કરવામાં હતી ભરૂચ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી શૈલેષ પ્રજાપતિ તથા અંકલેશ્વર તાલુકા કાર્યકારી પ્રમુખ સંજયસિંહ રાજ, હર્ષદભાઈ ગઢવી, અને યોગેશભાઈ જોશી ઉપસ્થિત રહી દિવ્યાંગ બાળકોને અલ્પાહાર આપવામાં આવ્યો હતો.
