-
અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલી છે સોસાયટી
-
સિદ્ધિવિનાયક સોસા.માં પાણી ભરાયા
-
1.5ઇંચ વરસાદના પગલે પાણી ભરાઈ ગયા
-
ઘરવખરીને વ્યાપક નુકશાન
-
વર્ષો જૂની સમસ્યાના નિરાકરણની માંગ
અંકલેશ્વરમાં ગતરોજ ખાબકેલ 1.5 ઇંચ વરસાદના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અંકલેશ્વરથી વાલીયાને જોડતા રોડ પર કોસમડી ગામ નજીક આવેલ સિદ્ધિ વિનાયક સોસાયટીમાં વરસાદના પગલે પાણી ભરાઈ ગયા હતા.વરસાદી પાણી રહીશોના ઘરમાં ફરી વળ્યા હતા જેમાં ઘરવખરી ડૂબી જતા જનજીવન મોટાપાયે પ્રભાવિત થયું હતુ.આ તરફ સોસાયટીના મુખ્ય માર્ગ પર પણ ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી હતી. આ અંગે રહીશોના જણાવ્યા અનુસાર સોસાયટી નજીક જ નાળુ આવેલું છે.આ નાળામાં થોડો પણ વરસાદ પડે એટલે પાણી ઉભરાઈ અને સોસાયટીમાં ફરી વળે છે.આ સાથે જ
