-
અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ
-
વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરાયુ
-
વોર્ડ નંબર 1 અને 8માં વિકાસના કાર્યો કરાશે
-
પ્રમુખ લલિતાબહેન રાજપુરોહિત રહ્યા ઉપસ્થિત
-
આગેવાનોએ આપી હાજરી
અંકલેશ્વર: નગર સેવા સદનના વોર્ડ નં.1 અને 8માં વિકાસના વિવિધ કાર્યોનું કરાયુ ખાતમુહૂર્ત !
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા તમામ વોર્ડમાં વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર એક અને આઠમાં વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચ | ગુજરાત | સમાચાર
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર એક અને આઠમાં વિકાસના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા તમામ વોર્ડમાં વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર એક અને આઠમાં વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર એકમાં મહાવીર નગર નજીક આરસીસી રોડ તો વોર્ડ નંબર આઠમાં આવેલ સબજેલ નજીકના ગાર્ડનની દિવાલના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવાસદનના પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, નગરસેવકો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. તમામ વોર્ડમાં રૂપિયા 40 લાખના ખર્ચે વિકાસના વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો
