અંકલેશ્વર: ઉમરવાડા ગામે પરિણીતાના પતિ દ્વારા પૂર્વ પ્રેમીના પિતાની હત્યાથી ચકચાર

New Update
અંકલેશ્વર: ઉમરવાડા ગામે પરિણીતાના પતિ દ્વારા પૂર્વ પ્રેમીના પિતાની હત્યાથી ચકચાર

અંકલેશ્વર માં પુત્રના પર સ્ત્રી સાથે કથિત સંબંધે પિતાનો જીવ લીધોપપ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પિતા સમજવા જતાં પુત્રની પૂર્વ પ્રેમિકાના પતિએ લાકડા ફટકા મારી હત્યા કરી ફરાર થઇ ગયો હતો. બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

publive-image

અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ ખાતે રહેતા નવીનભાઈ વસાવાને ગામ માં રહેતા કિશન વસાવાએ તેમના પુત્ર વિરલ તેની પત્ની વર્ષા જોડે હજી પણ પ્રેમ સંબંધ હોવનો વહેમ રાખી ઠપકો આપ્યો હતો, જે ઠપકા અંગે નવીનભાઈ વસાવા ધરે આવ્યા હતા અને પોતા પુત્ર વિરલને કિશનની પત્ની જોડે હજી પણ તું કેમ બોલે છે અને લગ્ન પહેલાનો તારો પ્રેમ સંબંધ હજી પણ ચાલુ છે તેમ કહી ઝગડો કર્યો હતો. વિરલને પિતાના ઠપકાથી તેનો કિશનની પત્ની જોડે કોઈ જ સંબંધના હોવાનું જણાવ્યું હતું જે આધારે નવીન કિશન વસાવાના ધરે સમજવા માટે પહોંચ્યા હતા જો કે તેઓ કિશન વસાવાને સમજાવવા જતા કિશન ઉશ્કેરાય ગયો હતો અને ઝઘડો કરી લાકડાના ફટકા માથામાં તેમજ અન્ય ભાગે મારી ફરાર થઇ ગયો હતો.

આ અંગે સ્થાનિક રહીશોએ વિરલ ને જાણ કરતા તે ઘટના સ્થળે દોડી આવી ગામમાંથી રીક્ષા લઇ લોહી લુહાણ હાલતમાં પિતાને જયાબહેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર ખાતે લઇ આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબોએ નવીન વસાવાને મૃત જાહેર કર્યો હતો. બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકે જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ગણતરીના સમયમાં જ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories