અંકલેશ્વર: કોસમડીની કુમકુમ સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા,જુઓ કેટલા રૂપિયાનો કર્યો હાથફેરો

New Update
અંકલેશ્વર: કોસમડીની કુમકુમ સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા,જુઓ કેટલા રૂપિયાનો કર્યો હાથફેરો

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ નજીક આવેલ કુમકુમ સોસાયટીમાં તસ્કરોએ ત્રાટકી એક મકાનમાથી સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા 4.50 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

અંકલેશ્વર તાલુકાના વડિયા રોડ પર આવેલ કુમકુમ સોસાયટીના મકાન નંબર બી 153માં રહેતા દિલીપસિંહ રાઠોડ અને પરિવારના સભ્યો નીચેનું મકાન બંધ કરી ઉપરના માળે સુવા ગયા હતા આ દરમ્યાન મધ્યરાત્રિના સમયે તસ્કરો મુખી દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ્યા હતા અને મકાનમાંથી સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 4.50 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગેની જાણ કરાતા જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ગુનો નોધી તસ્કરોનું પગેરું મેળવવા કવાયત શરૂ કરી છે.

Latest Stories