-
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
-
જળ શક્તિ મંત્રાલય દ્વારા આયોજન કરાયું
-
આઈ.આઈ.ટી.ગાંધીનગરનો સહયોગ
-
નદીના તટપ્રદેશની જાળવણી અંગે અપાયું માર્ગદર્શન
-
આમંત્રિતો રહયા ઉપસ્થિત
અંકલેશ્વર: કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા સી નર્મદા પ્રોજેક્ટ અંતર્ગત વર્કશોપ યોજાયો
સી નર્મદા પ્રોજેક્ટ આઈ.આઈ.ટી. ગાંધીનગર જળશક્તિ મંત્રાલય દ્વારા અંકલેશ્વરમાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ | ગુજરાત | સમાચાર
સી નર્મદા પ્રોજેક્ટ આઈ.આઈ.ટી. ગાંધીનગર જળશક્તિ મંત્રાલય દ્વારા અંકલેશ્વરમાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું
કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા આઈ.આઈ.ટી. ગાંધીનગર સાથે સી નર્મદા પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યો છે.જે સેન્ટરમાં અભ્યાસ કર્યા બાદ જે તારણો નીકળશે તેમાં સ્ટેકહોલ્ડરર્સ મહત્ત્વનીભૂમિકા ભજવશે સાથે સ્ટેકહોલ્ડર્સ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે ગતરોજ ભરૂચ બાદ આજરોજ અંકલેશ્વરમાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નદી સંરક્ષણના પડકારો અને વ્યૂહરચનાની ચર્ચા કરાઈ હતી. આ સેન્ટર દ્વારા નદીના તટપ્રદેશની જાળવણી સસ્ટેનેબલ મેનેજમેન્ટ માટે ઉચ્ચ ગુણવત્તાવાળું રિસર્ચ સેન્ટર બનશે સાથે નદીના અન્ય પાસાઓને પણ આવરી લેવામાં આવશે.આ વર્કશોપમાં આઈ.આઈ.ટી.ગાંધીનગરના પ્રનબ મોહાપાત્રા તેમજ અન્ય ડેલીગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા
