અંકલેશ્વર : લોકડાઉનમાં પોતાની ગાયકીના શોખને “અનલોક” કરતાં અનિરૂત જોલી

New Update
અંકલેશ્વર : લોકડાઉનમાં પોતાની ગાયકીના શોખને “અનલોક” કરતાં અનિરૂત જોલી

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે માર્ચ મહિનાના અંતિમ સપ્તાહથી લોકડાઉન આપવામાં આવ્યું હતું. લોકડાઉન દરમિયાન અનેક લોકોએ ઘરમાં રહી પોતાનામાં રહેલાં કલાકારને ઉજાગર કર્યો હતો. એક બિઝનેસ વુમન પર વ્યસ્ત જીંદગીમાં થોડો સમય કાઢી પોતાની કળા તથા શોખને આગળ ધપાવતી હોય છે. અમે તમને મળવવા જઇ રહયાં છે આવા જ એક બિઝનેસ વુમન અને અંકલેશ્વરના રહેવાસી અનિરૂત જોલીને ….

માર્ચ મહિનાના અંતિમ સપ્તાહથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. બે મહિનાથી વધુ સમય માટે ચાલેલા લોકડાઉન દરમિયાન લોકો પોતાના ઘરોમાં કેદ થઇ ગયાં હતાં. લોકડાઉન દરમિયાન કેટલાય લોકો ઘરોની બહાર નીકળ્યાં હતાં અને કોરોના વાયરસથી સંક્રમિત થયાં હતાં. જયારે કેટલાય લોકોએ લોકડાઉનનો સદઉપયોગ કર્યો અને પોતાનામાં છુપાયેલી કળાને બહાર લાવી હતી. લોકડાઉનનો સદઉપયોગ કરનાર એક મહિલા એટલે અંકલેશ્વરના અનિરૂત જોલી… અનિરૂત જોલી નાનપણથી ગાયકી અને સંગીતનો શોખ ધરાવે છે. તેમની ગણના અંકલેશ્વરના નામી બિઝનેસ વુમન તરીકે થાય છે. બિઝનેસ વુમન હોવાના કારણે તેઓ સતત તેમના કામમાં વ્યસ્ત રહે છે. સમયની વ્યસ્તતા વચ્ચે તેમણે લોકડાઉનમાં પોતાના ગાયકીના શોખને જીવંત કરવાનો મનોમન નિર્ધાર કર્યો અને ગુજરાતી કહેવત મન હોય તો માળવે જવાયને સાર્થક કરી છે.

હાલ તેમણે યુ ટયુબ ઉપર પોતાની ચેનલ પર રૂઠે હો તુમ નામનું વિડીયો આલ્બમ રીલીઝ કર્યું છે. અનિરૂત જોલીની યુ ટયુબ ચેનલમાં કિશોર કુમાર સહિતના નામી કલાકારોના સુપરહીટ ગીતોનો રસાસ્વાદ માણી શકાય છે. સોલા બરસ કી બાલી ઉમરકો સલામ, રીમઝીમ ગીરે સાવન, આજકલ પાવ જમીન પર અને મેરી યાદ મે સહિતના ગીતોને પોતાના સુમધુર કંઠે અનિરૂત જોલીએ જીવંત કર્યા છે. એક ગાયક હોવાની સાથે તેઓ એક સંગીતકાર પણ છે અને હારમોનિયમ પણ સારી રીતે વગાડી શકે છે. મન મકકમ હોય તો માનવી ગમે તેવા પડકારોનો સામનો કરી સફળતા પ્રાપ્ત કરી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ અનિરૂત જોલીએ પુરૂ પાડયું છે.

Read the Next Article

હવામાન વિભાગની આગાહી, છ દિવસ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના

હવામાન વિભાગની આગાહી મુજબ હવે કચ્છ અને સૌરાષ્ટ્રમાં 9 જુલાઇથી વરસાદનું જોર ઘટી જશે પરંતુ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત રહેશે,

New Update
guj

હવામાન વિભાગની આગાહી મુજબ હવે કચ્છ અને સૌરાષ્ટ્રમાં 9 જુલાઇથી વરસાદનું જોર ઘટી જશે પરંતુ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત રહેશે, વિસ્તારોમાં ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદનું અનુમાન છે.

હવામાન વિભાગની આગાહી મુજબઆજથી છ દિવસ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. આજે નવસારી અને વલસાડમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદ ખાબકવાનું અનુમાન.. તો સંઘપ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સર્જાયું છે.  જે આગળ વધીને મધ્ય પ્રદેશ તરફ જશે, જેની અસર ગુજરાત પર થતાં વરસાદ પડશે. 9 જુલાઇ બાદથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે પરંતુ હળવોથી મધ્યમ વરસાદ વરસતો રહેશે. દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત,ઉત્તર ગુજરાતના વિસ્તારમાં 9 જુલાઇ બાદ વરસાગદનું જોર વધશે અને આ વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ વરસતો રહેશે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં  ખેડા, પંચમહાલ, આણંદમાં વરસાદની શક્યતા છે. વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદામાં પણ મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 12 જુલાઇ બાદ સૌરાષ્ટ્ર કચ્છમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ બંધ થઇ જશે. આ વિસ્તારમાં 12 જુલાઇ બાદ વરાપ નીકળશે. છોટા ઉદેપુર, અમદાવાદ, મહિસાગર, અરવલ્લીમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં પણ મધ્યમ કરતા વધુ વરસાદ વરસી શકે છે.