અરવલ્લી : ગણિતના પાઠ ઢીંગલી ભણાવશે, મોડાસાના શિક્ષકો દ્વારા ગણિત શીખવવા ઢીંગલી બનાવાઇ

New Update
અરવલ્લી : ગણિતના પાઠ ઢીંગલી ભણાવશે, મોડાસાના શિક્ષકો દ્વારા ગણિત શીખવવા ઢીંગલી બનાવાઇ

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં ટીંટોઇ ક્લસ્ટરના શિક્ષકો દ્વારા પ્રાથમિક શાળાના પટાંગણમાં ગણિત શિખવતી 5 ફૂટ લાંબી ઢીંગલીનું સર્જન કરવામાં આવ્યું છે.


અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટીંટોઇ ક્લસ્ટર ના સી.આર.સી સંજયકુમાર અને પ્રાથમિક શાળા નં-3 ના ગણિતના શિક્ષિકા કિંજલ ચૌધરીના સંયુક્ત પ્રયાસથી શાળા પટાંગણમાં ગણિત શીખવતી પાંચ ફૂટ લાંબી ઢીંગલીનું સર્જન કરવામાં આવ્યું છે. જેથી બાળકો હરતા ફરતા ગણિતના અધ્યયન નિયમિત શીખી શકે. જેમાં ધોરણ 1થી 8ના મહત્તમ ટોપિક શીખી શકાશે. શિક્ષિકા કિંજલ ચૌધરીએ નવતર પ્રયોગ કરીને વિદ્યાર્થીઓને અભ્યાસમાં રૂચી કેળવવા માટે અભિગમ અપનાવ્યો છે. જેમાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પીરસવાનો ઉદ્દેશ્ય છે. શાળાના મેદાનમાં ટીચર લર્નિંગ મટિરીયલ અંતર્ગત એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. બાળકોને આર્કષવા માટે આ પ્રોજેક્ટને ઢીંગલીનો આકાર આપ્યો છે. જેથી બાળકો ઢીંગલી પાસે જઇ, જાતે જ ગણીતનું અધ્યયન કરી શકે. આવો જાણીએ શું છે આ ઢીંગલીની વિશેષતા.

ગમ્મત સાથે ગણીત શિખવવા ટીંટોઇના શિક્ષિકાએ બનાવી “ઢીંગલી”,

આ ઢીંગલી કલ્સટરના સી.આર.સી અને શિક્ષિકા એ પોતાની કોઠા સુઝ અને અનુભવ પરથી તૈયાર કરી છે. જે શાળામાં બાળકોને ગમ્મત, પ્રવૃતિ સાથે ક્રિયાત્મક રીતે સ્વાભ્યાસમાં ઉપયોગી નિવડશે તેવું તેમનું માનવું છે.

અઘરો લાગતો ગણિતનો વિષય બની શકે છે રસપ્રદ

સામાન્ય રીતે વિદ્યાર્થીઓને ગણિત વિષય અઘરો લાગતો હોય છે, પરંતુ આવા પ્રયોગો થકી ગમ્મત સાથે ગણીત શિખવાડવામાં આવે તો ચોક્ક્સ થી બાળકોમાં અભિરૂચી કેળવી શકાય છે.

Read the Next Article

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : 222 DNA મેચ થયા, અને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા, કાટમાળમાંથી મળેલા 100 મોબાઈલની FSL કરશે તપાસ

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત તા. 12 જૂન-2025

New Update

એર ઈન્ડિયાના પ્લેન ક્રેશ ઘટનાનો આજે 8મો દિવસ

ઘટનાસ્થળેથી મૃતદેહના 318 અવશેષ મળી આવ્યા

222 DNA મેચ થયા208 મૃતદેહ સોંપવામાં આવ્યા

કાટમાળમાંથી મળી આવ્યા 100 જેટલા મોબાઇલ ફોન

પ્લેન પાર્ટ્સ ભેગા કરી રિકન્સ્ટ્રક્શન કરાશે : જી.એસ.મલિક

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છેત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કેગત તા. 12 જૂન-2025 પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતીજેમાં 242 મુસાફર સવાર હતા. બપોરે 1:40 કલાકે પ્લેન ક્રેશ થયું હતું. 1:42 કલાકે પોલીસ કંટ્રોલને જાણ થઈ હતી. બનાવની જાણ થતાં જ અમદાવાદ પોલીસ કમિશનર ઝોન-4ના DCP, આર્મીએરફોર્સપેરામિલિટરી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અત્યાર સુધીમાં 214 લોકોના DNA સેમ્પલ મેચ થઈ ચૂક્યાં છેઅને અન્ય 8 મળી કુલ 222 લોકોની ઓળખ થઈ ચૂકી છે. પોલીસને કાટમાળમાંથી અત્યાર સુધીમાં 318 જેટલા માનવઅંગો મળ્યા છેજે તપાસ માટે લેવામા આવ્યા હતા. અંદાજિત 7 કલાકમાં 51 રિલેટિવના સેમ્પલ પહોંચાડી દેવામા આવ્યા હતા. 36 કલાકમાં પહેલું DNA મળી ગયું હતુંઅને 24 કલાકમાં મૃતદેહ રવાના કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 222 DNA મેચ થયાં છેઅને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા છે. ઘટના સ્થળે કાટમાળમાંથી 100 જેટલા મોબાઈલ મળતાં FSLમાં મોકલવામાં આવ્યા છે. મોબાઈલની તપાસમાં જાણવાનો પ્રયાસ કરાશે કેજ્યારે વિમાન ટેક-ઓફ થયું અને ક્રેશ થયું એ સમયગાળા દરમિયાન કોઈ મોબાઈલમાં અંતિમ ક્ષણનો વીડિયો રેકોર્ડ થયો છે કેનહીં. એર ઈન્ડિયાના ક્રેશ થયેલા પ્લેનના જે પાર્ટ્સ મળ્યા છેતેને એકત્ર કરી રિકન્સ્ટ્રક્શન કરવાનો પણ નિર્ણય કરાયો છે. પોલીસે ઇન્વેસ્ટિગેશન અને હોસ્પિટલ માટે અલગ અલગ ટીમ બનાવી હતી. ડિટેલ પોસ્ટમોર્ટમની જગ્યાએ પાર્સલ ઓટોપ્સીના ઓર્ડર કર્યા હતા. પ્લેન ક્રેશના 8મા દિવસે પણ મૃતદેહો સુપરત કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલુ છે. વધુમાં એક કમિટી બનાવવામાં આવી છેજેમાં બ્લેક બોક્સ અને અન્ય જે વસ્તુ મળી છેતે અંગે તપાસ કરવામાં આવશે.