ભરૂચ એલસીબીએ ચકચારી સુનિલ તાપીયાવાલા મર્ડર કેસમાં આજીવન કેદની સજા પામેલ 9 વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલ મુખ્ય આરોપીને મોરબી ખાતેથી ઝડપાયો હતો.
ભરૂચ એલસીબીના પી.આઈ. એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. આર.કે. ટોરાણી સહિત સ્ટાફ પેરોલ,ફર્લો જમ્પ થયેલ આરોપીઓને ઝડપી પાડવા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વર્ષ-૨૦૧૩માં ભરૂચ શહેરમાં સુનિલ તાપીયાવાલાના ચકચારી મર્ડર કેસમાં મુખ્ય આરોપી સચિન પંડયાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આરોપી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો હતો જેણે વર્ષ-૨૦૧૬માં પેરોલ રજા પર મુક્ત થઈ સમયસર જેલમાં હાજર નહી થઇ પેરોલ જમ્પ કરી ફરાર થયેલ છે અને હાલ મોરબીમાં રહે છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને મોરબીના મહેન્દ્રનગરમાંથી મૂળ ભરૂચના સોનેરી મહેલ ધનલક્ષ્મી એપાર્ટમેન્ટ અને હાલ મોરબી મહેન્દ્ર નગર ચોકડી શીવ એપાર્ટમેન્ટ ફ્લેટમાં રહેતો સચિન ઉર્ફે લાલુ ઉર્ફે વિશાલ શાહને ઝડપી પાડ્યો હતો.
