/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/25124234/maxresdefault-96.jpg)
અંકલેશ્વરમાં રૂપિયાની લેવડ દેવડ બાબતે કોન્ટ્રાકટરનું અપહરણ કર્યા બાદ તેને માર મારી છોડી મુકાયો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ સોનમ સોસાયટીમાં રહેતા અને લેબર કોન્ટ્રાકટરનું કામ કરતાં 48 વર્ષીય અર્જુન ચૌધરીનું રૂપિયાની લેવડ દેવડ બાબતે અપહરણ કરવામાં આવ્યું હતું. તેઓ અભય મિશ્રાના નેજા હેઠળ લેબરનો પેટા કોન્ટ્રાક્ટ ચલાવે છે જેઓનું રૂપિયા બાબતે નિર્ભય મિશ્રા, અર્પિત ઝા, અજય સિંગ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોધાઈ છે. ત્રણેય ઇસમોએ તેઓનું કારમાં અપહરણ કરી વિવિધ વિસ્તારોમાં લઈ ગયા હતા અને માર માર્યો હતો અને બાદમાં છોડી મૂકવામાં આવ્યા હતા.ઇજાગ્રસ્તને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.