ભરૂચ: મધ્યપ્રદેશના સી.એમ.શિવરાજસિંહ ચૌહાણે નિલકંઠેશ્વર મહાદેવ મંદિરે પૂજન અર્ચન કર્યું

New Update
ભરૂચ: મધ્યપ્રદેશના સી.એમ.શિવરાજસિંહ ચૌહાણે નિલકંઠેશ્વર મહાદેવ મંદિરે પૂજન અર્ચન કર્યું

મધ્યપ્રદેશના સી.એમ.શિવરાજસિંહ ચૌહાણ બે દિવસની ભરૂચ મુલાકાતે છે. તેઓ આવતીકાલે નવસારી ખાતે દાંડિયાત્રામાં ભાગ લેશે એ પૂર્વે આજરોજ ભરૂચ ખાતે તેઓ આવી પહોંચ્યા હતા. અને ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નિલકંઠેશ્વર મહાદેવ મંદિરે પત્ની સાથે પૂજન અર્ચન કર્યું હતું.

આવતીકાલે વહેલી સવારે તેઓ દહેજ ખાતે નર્મદા નદીના સમુદ્ર સાથે સંગમ સ્થળ પર પૂજન અર્ચન કરશે ત્યાર બાદ ફરીથી તેઓ ભરૂચ આવી ભરૂચના મનન આશ્રમની મુલાકાત લેશે અને બાદમાં સુરત અને ત્યાંથી નવસારી જવા રવાના થશે. આજરોજ શિવરાજસિંહ ચૌહાણ ભરૂચ ખાતે આવી પહોંચતા ભરૂચના સ્થાનિક નેતાઓ અને તંત્રના અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.તેઓએ આ પ્રસંગે જણાવ્યું હતું કે નર્મદા માતા મધ્યપ્રદેશની સમૃદ્ધિ અને ગુજરાતનો વિકાસ મા નર્મદાની કૃપાના આધારે છે ત્યારે તેઓનું પૂજન અર્ચન કરવાનું તેઓને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.

Latest Stories