ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને પ્રાથમિક સારવાર ઉપલબ્ધ થાય તે માટે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં અણખી ગામે ગાંધી આશ્રમ ખાતે હોમબેઝ કોવીડ કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લામાં કોરોના બેકાબૂ બન્યો છે ત્યારે શહેર સહિત ગ્રામીણ વિસ્તારમાં પણ કોરોના સંક્રમણ વધુ ફેલાય રહ્યું છે ત્યારે હાલની પ્રવર્તમાન કોરોનાની વિકટ સ્થિતિમા જંબુસર તાલુકાનાં અણખી ગામે દર્દીઓને પ્રાથમિક સારવાર ઉપલબ્ધ થાય તે માટે ગાંધી આશ્રમ ખાતે હોમબેઝ કોવીડ કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. અણખી ગામના બે સેવાભાવી ડોક્ટર કશ્યપ પટેલ તથા ધર્મેશ પટેલ દ્વારા જંબુસર તાલુકા પંચાયતના સભ્ય નિતિન પટેલ ઉર્ફે ભોલા ભાઈના સહકારથી ગાંધી આશ્રમ ખાતે હોમબેઝ કોવિદ સેંટરની શરૂ કરવામાં આવી છે. જેમા પ્રથમ દિવસે પ્રાથમિક લક્ષણો ધરાવતા ૧૦ દર્દીઓની સારવાર શરૂ કરી છે. કોરોના મહામારીની વિકટ સ્થિતિ વચ્ચે ગ્રામ્ય વિસ્તારમા આવી સવલત ઉભી થતા આજુબાજુના ગ્રામજનો માટે રાહતના સમાચાર છે.