ભરૂચ : રાત્રી કારફ્યુનો અમલ શરૂ, ડીવાયએસપી સહિતનો કાફલો પેટ્રોલિંગમાં

New Update
ભરૂચ : રાત્રી કારફ્યુનો અમલ શરૂ, ડીવાયએસપી સહિતનો કાફલો પેટ્રોલિંગમાં

કોરોના સંક્રમણને રોકવા હાઇકોર્ટના આદેશ બાદ સરકારના લોકડાઉનના નિર્ણયને ગંભીરતાથી લેતી ભરૂચ પોલીસ...

કોરોનાના કહેર વચ્ચે વધતા કેસોને પગલે હાઇકોર્ટના નિર્દેશથી ગુજરાત સરકાર દ્વારા તારીખ 7 થી 30 એપ્રિલ સુધી રાત્રે 8 થી સવારના 6 વાગ્યા સુધી ઇમરજન્સી સેવાઓને છોડી કરફ્યુ મુકવામાં આવ્યો છે.

કોરોનાનું સંક્રમણ રોકવાના ભાગરૂપે ભરૂચ પોલીસ દ્વારા કરફ્યુના કડક અમલ કરવામાં આવી રહ્યો છે.શહેરના પાંચબત્તી સર્કલ, મોહમદપુરા સર્કલ, રેલવે સ્ટેશન વિસ્તાર, શક્તિનાથ વિસ્તારમાં કરફ્યુ નો પોલીસ વાર ચુસ્ત અમલ કરાવાઈ રહ્યો છે,કરફ્યુ ના સમય દરમ્યાન બિનજરૂરી બહાર નીકળતા લોકોને ચેક કરવામાં આવી રહ્યા છે.આજના કરફ્યુ ના અમલ સાથે પ્રથમ દિવસે ડી.વાય.એસ.પી. વિકાસ સુંડાએ જણાવ્યું હતું કે વગર કારણે ઘર બહાર નીકળવું નહીં, ઇમરજન્સી હોઈ તો જ ઘરની બહાર નીકળવું,કરફ્યુ નો કડક અમલ કરવામાં આવશે.

Read the Next Article

રાજ્યના નવ જિલ્લામાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ કરાયું જાહેર

હવામાન વિભાગે  રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં એક સાથે ત્રણ- ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા એક સપ્તાહ

New Update
yellq

હવામાન વિભાગે  રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગના મતે રાજ્યમાં એક સાથે ત્રણ- ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા એક સપ્તાહ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસશે.  હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના નવ જિલ્લામાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરાયું છે.  આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. તો સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. આ તરફ દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. જેમાં વલસાડ અને નવસારીનો સમાવેશ થાય છે.

રાજ્યમાં આજે 9 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં એલર્ટ અપાયું છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં આજના દિવસે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ, મહેસાણામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરાઇ છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. છેલ્લા પાંચ વર્ષમાં ચાલુ વર્ષે જૂનમાં સૌથી વધુ વરસાદ  વરસ્યો હતો. સામાન્ય રીતે જૂનમાં ગુજરાતમાં 15થી 20 ટકા વરસાદ વરસે છે.

ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં જ સીઝનનો 38 ટકા વરસાદ વરસી ગયો છે. રાજ્યના તમામ ઝોનમાં 30 ટકાથી વધુ વરસાદ વરસ્યો હતો. અત્યાર સુધીમાં 18 જેમ ઓવરફ્લો થયા હતા. અત્યાર સુધીમાં ચાર તાલુકા એવા છે કે જ્યાં 40 ઈંચથી વધુ વરસાદ થયો હતો તો 34 તાલુકા એવા છે કે જ્યાં 20થી 40 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. 109 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ વરસ્યો હતો. 77 તાલુકામાં 5થી 10 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે 25 તાલુકામાં 2થી 5 ઈંચ વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠાના સૂઈગામ અને પાટણના રાધનપુરમાં અત્યાર સુધીમાં બે જ તાલુકામાં સરેરાશ બે ઈંચ માંડ વરસાદ વરસ્યો છે.