ભરૂચ : ઝઘડીયા તાલુકાની કરજણ માઇનોર કેનાલમાં સર્જાયું ભંગાણ, હજારો લિટર પાણીનો વેડફાટ

New Update
ભરૂચ : ઝઘડીયા તાલુકાની કરજણ માઇનોર કેનાલમાં સર્જાયું ભંગાણ, હજારો લિટર પાણીનો વેડફાટ

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વંઠેવાડ અને ખારિયા ગામ વચ્ચેની કરજણ માઇનોર કેનાલમાં ભંગાણ સર્જાતા હજારો લિટર પાણી વેડફાયુ હતું.

ઝઘડીયા તાલુકાના ખારીયા ગામ નજીકથી પસાર થતી કરજણ જળાશયની માઇનોર કેનાલમાં છેલ્લા કેટલાક દિવસોથી ભંગાણ સર્જાતા નહેરમાં આવતું પાણી સાઈડમાં વહી રહ્યુ છે. જેથી પાણી ખેડૂતોના ખેતરમાં ન પહોચતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જોકે, કરજણ જળાસય યોજના દ્વારા આ નહેરનું યોગ્ય સમારકામ ન થયું હોવાથી તેમજ યોગ્ય બાંધકામ પણ ન થવાથી તેમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કરજણ જળાશય યોજનાને ઝઘડીયા તાલુકાના ખેડૂતો માટે સંજીવની માનવમાં આવે છે, ત્યારે કરજણ જળાશય યોજનાના અધિકારીઓ દ્વારા યોગ્ય કાળજી લેવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે. ઉપરાંત ઝઘડીયા તાલુકા અનેક સ્થળો પર કેનાલની દશા ખૂબ જર્જરીત હાલતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે, ત્યારે મોટી માત્રામાં થતાં પાણીના વેડફાટને અટકાવી તંત્ર દ્વારા કેનાલનું યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.