/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/28164221/maxresdefault-353.jpg)
કોંગ્રેસના આધારસ્તંભ અને ભારતીય રાજનિતિમાં 40 વર્ષ કરતાં વધારે સમય સક્રિય રહેલાં સાંસદ અહમદ પટેલ સદેહ આપણી વચ્ચે રહયાં નથી પણ લોકોના દિલોમાં હજી તેઓ જીવંત છે. મરહુમ અહમદ પટેલને શ્રધ્ધાજલિ આપવા હવે રાષ્ટ્રીય નેતાઓ પિરામણ ગામમાં આવી રહયાં છે….
અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામના વતની અહમદ પટેલે દેશ તથા વિશ્વના રાજકારણમાં નામના મેળવી છે. તેમના આકસ્મિક નિધનથી કોંગ્રેસ પાર્ટી તથા દેશને ન પુરાય તેવી ખોટ પડી છે. તેમનો પાર્થિવ દેહ પિરામણ ગામમાં આવેલાં કબ્રસ્તાનમાં દફન થઇ ચુકયો છે. શનિવારના રોજ રાજયસભાના વિપક્ષના નેતા ગુલામનબી આઝાદ, પુર્વ વિદેશ મંત્રી આનંદ શર્મા અને હરિયાણાના પુર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ હુડ્ડા સહિતના નેતાઓ પિરામણ ગામમાં આવ્યાં હતાં. સુરતથી મોટરમાર્ગે આવેલાં નેતાઓએ સૌ પ્રથમ મરહુમ અહમદ પટેલના પુત્ર ફૈઝલને ગળે લગાવી સાંત્વના પાઠવી હતી. તેઓ અહમદ પટેલની પુત્રી મુમતાઝ સહિતના પરિવારજનોને મળી સંવેદના વ્યકત કરી હતી. મરહુમ અહમદ પટેલના નિવાસેથી નેતાઓ કબ્રસ્તાન પહોંચ્યાં હતાં. જયાં મરહુમ અહમદ પટેલની કબર પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.