ભરૂચ: રમઝાન માસ આવતો હોવાથી રાત્રિ કર્ફ્યુના સમયમાં ફેરફારની મુસ્લિમ સમાજની માંગ

ભરૂચ: રમઝાન માસ આવતો હોવાથી રાત્રિ કર્ફ્યુના સમયમાં ફેરફારની મુસ્લિમ સમાજની માંગ
New Update

ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રમઝાન માસમાં રાત્રિ કર્ફ્યુના સમયમાં ફેરફારની માંગ કરવામાં આવી છે.

રાજયમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહયું છે. મહાનગરો બાદ નાના શહેરો પણ કોરોનની ઝપેટમાં આવી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા 20 શહેરોમાં રાત્રિના 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં ભરૂચ શહરનો પણ સમાવેશ કરાયો છે ત્યારે થોડા જ દિવસોમાં મુસ્લિમોના પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થઈ રહ્યો છે જેના પગલે રાત્રિ કર્ફ્યુના સમયમાં ફેરફારની માંગ સાથે ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા આજરોજ ક્લેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર રાત્રિના 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુના કારણે મુસ્લિમ સમાજને રમઝાન માસમાં અગવડતા પડશે આથી રાત્રિ કર્ફ્યુનો સમય રાત્રે 10.30 થી મળસ્કે 4 વાગ્યા સુધી રાખવા માંગ કરવામાં આવી છે.

#Muslim #Corona Virus #reaction #community #COVID19 #night curfew #Bharuch #Connect Gujarat News
Here are a few more articles:
Read the Next Article