ભરૂચ: નગર પાલિકાની સામાન્ય સભા પંડિત ઓમકારનાથ ટાગોર હોલમાં યોજાય તેવી વિપક્ષની માંગ

New Update
ભરૂચ: નગર પાલિકાની સામાન્ય સભા પંડિત ઓમકારનાથ ટાગોર હોલમાં યોજાય તેવી વિપક્ષની માંગ

ભરૂચ નગર પાલિકાની બજેટ અંગેની સામાન્ય સભા તા 31/3ના રોજ યોજાનાર છે ત્યારે વિપક્ષ કોંગ્રેસના સભ્ય હેમેન્દ્ર કોઠીવાલાએ આ સભા નગરપાલિકા હોલમાં નહીં પરંતુ ઓમકારનાથ ઠાકુર હોલમાં યોજવા માંગ કરેલ છે.

Watch Video : https://fb.watch/4yNbcvm-gV/

ભરૂચ નગર પાલિકાની બજેટ અંગેની સામાન્ય સભા તા 31/3ના રોજ નગરપાલિકાના સભાખડમાં યોજાનાર છે ત્યારે વિપક્ષ કોંગ્રેસના સભ્ય હેમેન્દ્ર કોઠીવાલાએ સામાન્ય સભા નગરપાલિકાના સભાખડમાં નહીં પરંતુ ઓમકારનાથ ઠાકુર હોલમાં યોજવા નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડા અને મુખ્ય અધિકારી સંજય સોનીને લેખિતમાં અરજી આપી છેતેઓએ જણાવ્યુ છે કે હાલ કોરોના મહામારીના દિવસો ચાલી રહ્યા છે ત્યારે આ બજેટ મીટીંગમાં 44સભ્યો ઉપરાંત નગર પાલિકાના કર્મચારીઓ અને પત્રકારો ઉપસ્થિત રહેનાર હોય નગર પાલિકાના સભાખડમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ બનશે તેથી બજેટની સામાન્ય સભા ઓમકાર નાથ હોલમાં યોજવા માંગ કરેલ છે.

Latest Stories