ભરૂચમાં ગાંધી જયંતિના દિવસે નેશનલેશન ઓફ હેલ્થ કેર દ્વારા જન આંદોલનના ભાગરૂપે પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યું હતું.
સ્વાસ્થ્ય સેવાઓનું દવાઓની કંપની સાથે સામાજીકરણ અનિવાર્ય પણે જબરસ્તી વેક્સિનનો વિરોધ જન આંદોલન થકી વિવિધ વિસ્તારોમાં વિવિધ મુદ્દા અંગેના પેમ્પલેટ વિતરણ કરી જનજાગૃતિ ફેલાવામાં આવી હતી. સ્વાસ્થ્ય સેવાનું રાષ્ટ્રીયકરણ સહિતના વિવિધ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યાં છે. સંસ્થાના ડૉ. માયા વાલેચાએ જણાવ્યું હતું કે, કોરોના કાળ દરમિયાન તેમણે સત્યના પ્રયોગો કર્યા હતાં. સ્વાસ્થય સેવાઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવે તો જ ખાનગી હોસ્પિટલો દ્વારા ચલાવવામાં આવતી લુંટને રોકી શકાય તેમ છે.