New Update
રાજયમાં કોરોનાની બીજી લહેર ઘાતક પુરવાર થઈ રહી છે અને સેંકડો લોકો સંક્રમણનો ભોગ બની રહ્યા છે ત્યારે વેક્સિન મૂકાવવી આવશ્યક છે. પરંતુ ઘણા લોકો વેક્સિન બાબતે અસમંજસની સ્થિતિમાં છે ત્યારે સમર્પણ ધ્યાન કેન્દ્રના પ્રણેતા શિવકૃપાનંદ સ્વામીએ લોકોને વેક્સિન મૂકવવા અનુરોધ કર્યો છે. સ્વામીજી અને તેમના પત્નીએ પણ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે ત્યારે વેક્સિન મુકાવી કોરોના સામે કવચ મેળવવા તેઓ દ્વારા અપીલ કરવામાં આવી છે.