ભરૂચ: નર્મદા નદીમાં નાહવા પડેલા ઝગડિયાના રાણીપુરાના યુવાનનું મોત

ભરૂચ: નર્મદા નદીમાં નાહવા પડેલા ઝગડિયાના રાણીપુરાના યુવાનનું મોત
New Update

ઝગડિયા તાલુકાનાં રાણીપુરા ગામનો દર્પણ પટેલ મિત્રો સાથે ધૂળેટી મનાવવા નર્મદા નદીમાં નહાવા પડ્યા હતા. જેમાં દર્પણ પટેલનું માધિયાની નહેર પાસે નદીમાં ડૂબી જવાથી મોત નીપજયું હતું.

મળતી માહીતી અનુસાર, ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામનો દર્પણ પટેલ નામનો યુવક ધૂળેટી પર્વ મનાવવા તેના મિત્રો સાથે ઝઘડિયાથી કબીરવડ જવાના રસ્તે માધીયાની નહેર વાળા નર્મદાના પ્રવાહ વાળા પટમાં નાહવા માટે ગયો હતો. તેના બધા મિત્રો સાથે તે નર્મદામાં નાહવા પડ્યો હતો અને તે માધીયાની નહેરથી કબીરવડ જવાના નર્મદાના પટમાં ડુબી ગયો હતો. તેની સાથેના મિત્રો તેની શોધખોળ હાથ ધરી હતી. માધીયાની નહેર પાસે નર્મદામાં નહાતા અન્ય લોકો પૈકી એક ઇસમને પાણીમાં કોઈ મૃતદેહ હોવાની શંકા જતાં શોધખોળ હાથ ધરી હતી જેમાં દર્પણ પટેલની લાશ મળી આવી હતી. જીલ્લા કલેકટરના જાહેરનામા બાદ પણ નર્મદા કિનારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને કલેક્ટરના જાહેરનામાનો ભંગ જણાયો હતો.

#Narmada River #youth died #Ranipura #Bharuch #Dhuleti Celebration 2021
Here are a few more articles:
Read the Next Article