Connect Gujarat
ભરૂચ

ભરૂચ–દહેજ રેલ્વે લાઈન પર અકસ્માત, ખુલ્લી ફાટક પર ઇકો કાર ટ્રેનની અડફેટે આવી જતાં 4 લોકોને ઇજા...

ભરૂચ અને દહેજ પોર્ટને જોડતી ભરૂચ–દહેજ રેલ્વે લાઈન પર વાવ ગામ નજીક ખુલ્લી ફાટક પર ઇકો કાર ટ્રેનની અડફેટે આવી જતાં અકસ્માતમાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

X

ભરૂચ અને દહેજ પોર્ટને જોડતી ભરૂચ–દહેજ રેલ્વે લાઈન પર વાવ ગામ નજીક ખુલ્લી ફાટક પર ઇકો કાર ટ્રેનની અડફેટે આવી જતાં અકસ્માતમાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

મળતી માહિતી અનુસાર, ભરૂચ–દહેજ રેલ્વે ટ્રેક પર વાવ ગામ નજીક ભરૂચ રેલ્વે સેક્શનના LC ગેટ 35 નજીક ખુલ્લી ફાટક પરથી પસાર થઈ રહેલી ઇકો કારને અકસ્માત નડ્યો હતો, જ્યાં ખુલ્લી ફાટક પર અચાનક ટ્રેન સામે આવી જતાં ટ્રેનની અડફેટે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ઘટનામાં કારમાં સવાર 4 લોકોને ઈજા પહોંચી હતી. જેમને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઈજાગ્રસ્તો પૈકી 2 લોકોની સ્થિતિ નાજુક હોવાનું પણ જાણવા મળ્યું છે. તો બીજી તરફ, બનાવ સંદર્ભે રેલ્વે પોલીસે ફાટક મેનની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો છે કે, કાર ચાલકની નિષ્કાળજીના પરિણામે અકસ્માત થયો હશે, જે બન્ને પાસાઓની તપાસ શરૂ કરી હકીકત બહાર લાવવા ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story