અંકલેશ્વર : આંતરરાજ્ય ઘરફોડ-વાહન ચોરીમાં સંડોવાયેલ મધ્યપ્રદેશના 2 આરોપીની ટ્રાન્સફર વોરંટથી અટકાયત...

New Update
અંકલેશ્વર : આંતરરાજ્ય ઘરફોડ-વાહન ચોરીમાં સંડોવાયેલ મધ્યપ્રદેશના 2 આરોપીની ટ્રાન્સફર વોરંટથી અટકાયત...

ભરૂચ જીલ્લા સહીત આંતરરાજ્ય વાહન ચોરી અને ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ મધ્ય પ્રદેશની કુખ્યાત ઘરફોડ ગેંગના મુખ્ય સુત્રધાર સહીત 2 આરોપીની અંકલેશ્વર બી’ ડીવીઝન પોલીસે ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, સુરત LCB પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન સુરત શહેર, ઉમરા, મહિધરપુરા, અડાજણ અને પુણા સહીતના વિસ્તારોમાં 10 જેટલા વાહન ચોરી અને ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં ફરી રહ્યો છે, ત્યારે બાતમીના આધારે સુરત LCB પોલીસે ઇન્દોર પોલીસની મદદ વડે એરપોર્ટ રોડ ઉપર આવેલ ધર્મરાજ કોલોનીમાં રહેતા મધ્યપ્રદેશની કુખ્યાત ઘરફોડ ગેંગના મુખ્ય સુત્રધાર જગદીશ ઉર્ફે કૈલાસ જગ્ગા ઉર્ફે શ્યામ ચૌહાણ તેના સાગરિત સંજય ઉર્ફે હેમંત ઉર્ફે બલ્લુ રમેશ કોલીને ઝડપી પાડી સુરત ખાતે લઇ આવ્યા હતા. જે બન્ને આરોપીઓની પુછપરછ કરતા અંકલેશ્વર શહેર અને બી’ ડીવીઝન પોલીસ મથક હદ વિસ્તારમાં વાહન ચોરીના 7 અને ઘરફોડ ચોરીના 7 ગુનામાં સંડોવાયેલ હોવાની કબુલાત કરતા સુરત LCB પોલીસે અંકલેશ્વર બી’ ડીવીઝન પોલીસનો સંપર્ક કરતા અંકલેશ્વર બી’ ડીવીઝન પોલીસે બન્ને આરોપીઓની ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્ય સુત્રધાર જગદીશ ચૌહાણ અંકલેશ્વર, ભરૂચ,મધ્ય પ્રદેશ અને સુરત, વલસાડ તેમજ રાજકોટ, સુરેન્દ્રનગર સહીતના વિસ્તારોમાં અલગ અલગ વાહન ચોરી અને ઘરફોડ ચોરીના 35 જેટલા ગુનામાં સંડોવાયેલ છે, જ્યારે સંજય કોલી ભરૂચ અને અંકલેશ્વર સહીતના વિસ્તારોમાં 23 ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું છે.

Read the Next Article

ભરૂચ: શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે 15 લોકો સાથે રૂ.1.59 કરોડની ઠગાઈ, એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

New Update
  • ભરૂચમાં ચકચારી મામલો પ્રકાશમાં આવ્યો

  • 15 લોકો સાથે આચરવામાં આવી ઠગાઈ

  • શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે ઠગાઈ

  • રૂ.1.59 કરોડની ઠગાઈ આચરવામાં આવી

  • ઠગ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા અને કર્મકાંડ તેમજ ખેતી કરતા ચેતનકુમાર ગણપતરામ પુરોહિતનો ચાર વર્ષ પહેલાં ભરૂચના નિપન નગરમાં રહેતા રાહુલ અરવિંદ પંચાલ સાથે પરિચય થયો હતો. ચેતને પોતે મુંબઈની આઈ.આઈ એફ.એલ.નામની કંપનીમાં શેર બ્રોકર કામ તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું તેમજ વધુ વળતર આપવાની ચેતનકુમારને લાલચ આપી હતી.વધુ વળતરની લાલચે ચેતન પુરોહિત અને અન્ય 15 જેટલા લોકોએ રાહુલ પંચાલને રૂ.1.59 કરોડ આપ્યા હતા.
શરૂઆતમાં રાહુલ વિશ્વાસ કેળવવા કેટલાક રૂપિયા વળતર પેટે પરત પણ આપ્યા હતા જોનકે બાદમાં તેણે રૂપિયા ચુકાવવાનું બંધ કરી દીધું હતું જેને પગલે ભેજાબાજ વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.