અંકલેશ્વર:રાજપીપળા રોડ પર આવેલ સીટી સોસાયટીમાં ૨૩ વર્ષીય યુવાને ગળે ફાંસો લગાવી કર્યો આપઘાત,પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ સિલ્વર સીટી સોસાયટીમાં ૨૩ વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે

New Update
અંકલેશ્વર:રાજપીપળા રોડ પર આવેલ સીટી સોસાયટીમાં ૨૩ વર્ષીય યુવાને ગળે ફાંસો લગાવી કર્યો આપઘાત,પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ સિલ્વર સીટી સોસાયટીમાં ૨૩ વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે

અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ સિલ્વર સીટી સોસાયટીમાં રહેતા ૨૪ વર્ષીય શિવ શંકર બાબુલાલ ગૌસ્વામીના ૨૩ વર્ષીય નાના ભાઈ સંપત ગૌસ્વામી ઝઘડિયાની બોરોસીલ કંપનીમાં પ્લાન્ટ ઓપરેટર તરીકે નોકરી કરી છે જેઓ ગતરોજ નોકરી પરથી પરત આવી પોતાના ઘરે એકલો હતો તે દરમિયાન ઘરમાં પંખા દુપટ્ટા વડે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો બનાવ અંગેની જાણ પરિવારજનોએ શહેર પોલીસ મથકે કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે