અંકલેશ્વર: ખરોડ ગામની પ્રાથમિક શાળાના સિનિયર શિક્ષક નિવૃત્ત થતા તેઓએનો વિદાય સમારોહ યોજાયો
અંકલેશ્વર તાલુકાનાં ખરોડ ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક આઝીમ સુલેમાન પટેલ વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા છે.
BY Connect Gujarat Desk26 Feb 2023 7:35 AM GMT
X
Connect Gujarat Desk26 Feb 2023 7:35 AM GMT
અંકલેશ્વર તાલુકાનાં ખરોડ ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક આઝીમ સુલેમાન પટેલ વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા છે. તેઓએ વર્ષો સુધી ખરોડ અને તેની આસપાસના ગામના બાળકોને મૂલ્યવાન શિક્ષણ આપ્યું હતું જો કે તેઓ નિવૃત્ત થતા તેમનો વિદાય સમારોહ યોજાયો હતો.આ પ્રસંગે ખરોડ ગામના સરપંચ અને આગેવાનોએ તેમનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને નિવૃત્તિનું જીવન આનંદમય નિવડે એવી શુભકામના આપી હતી. આ કાર્યકમમાં શાળા પરિવાર તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Next Story