અંકલેશ્વર : સામાન્ય નાગરિકોને વ્યાજબી દરે લોન મળે તેવું આયોજન, પોલીસ વિભાગ દ્વારા યોજાયો લોન મેળો

સામાન્ય નાગરિકોને વ્યાજબી દરે લોન મળી રહે તે હેતુથી અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં પોલીસ વિભાગ દ્વારા શેઠના હોલ ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
અંકલેશ્વર : સામાન્ય નાગરિકોને વ્યાજબી દરે લોન મળે તેવું આયોજન, પોલીસ વિભાગ દ્વારા યોજાયો લોન મેળો

સામાન્ય નાગરિકોને વ્યાજબી દરે લોન મળી રહે તે હેતુથી અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં પોલીસ વિભાગ દ્વારા શેઠના હોલ ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્યના ગૃહ વિભાગના આદેશો બાદ ઊંચા વ્યાજ દરે નાણાંનું ધિરાણ કરતા વ્યાજખોરો સામે પોલીસ વિભાગે સપાટો બોલાવ્યા હતો. જે બાદ વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલ લોકોની આપવીતી અને મજબૂરી સામે આવી હતી. જેમાં ઊંચું વ્યાજ ભરીને પણ લોકો વ્યાજના આ ચક્રવ્યુમાં ફસાયેલાં જ નજરે પડ્યા હતા. તેવામાં હવે આ પ્રકારના સામાન્ય નાગરિકોની વ્હારે પોલીસ વિભાગ સામે આવ્યું છે. અંકલેશ્વર શહેરના શેઠના હોલ ખાતે અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા, અંકલેશ્વર તાલુકા વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનના અધિકારીઓ, વિવિધ બેંકોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તબક્કે વિવિધ બેંકના સ્ટાફની ઉપસ્થિતિમાં લોનની જરૂરિયાત ધરાવતા લોકોને સ્થળ પરજ જરૂરી ડોક્યુમેન્ટ લઈ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરી તેઓને સહુલત મુજબની લોનનું ધિરાણ કરવાની શરૂઆત કરાય હતી.

Latest Stories
Read the Next Article

ભરૂચ: અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના વૃદ્ધને હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ,કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચના વાલ્મિકી સમાજ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના વૃદ્ધને કેટલાક શખ્સો હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

New Update
  • ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

  • વાલ્મિકી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • વૃદ્ધને હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ

  • વૃદ્ધનું મકાન તોડી પાડી દીકરીને માર મરાયો

ભરૂચના વાલ્મિકી સમાજ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના વૃદ્ધને કેટલાક શખ્સો હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચના વાલ્મિકી સમાજના આગેવાનો દ્વારા આજરોજ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામે રહેતા જગદીશ સોલંકીના ઘરે નિકોરા ગામમા રહેતા તોસીફ રાજ, સબ્બીર, મોઈન, સલીમ તથા સરફરાજ સહિતના શખ્સોએ જગદીશભાઈની દિકરી જમાઈને મકાન ખાલી કરી દેવા ધમકી આપી હતી 
ત્યાર બાદ બીજા દિવસે તોસિફ રાજ અને અન્ય શખ્સોએ જેસીબીથી મકાન તોડી પાડી દીકરીને માર માર્યો હતો અને શારીરિક અડપલા પણ કર્યા હોવાના આક્ષેપ કર્યા છે.મકાન અંગેનો મામલો કોર્ટમાં હોવા છતાં માથાભારે ઈસમો દાદાગીરી કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર મામલે વાલ્મિકી સમાજ અને વૃદ્ધ દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે.
Latest Stories