અંકલેશ્વર: આપના નેતા સંજયસિંહે ચૈતર વસાવા સાથે કરી પદયાત્રા, ભાજપ પર કર્યા અનેક પ્રહાર
આપના નેતા સંજયસિંહે અંકલેશ્વરમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા સાથે પદયાત્રા કરી મતદારોને ચૈતર વસાવાને જીતાડવા અપીલ કરી હતી.
BY Connect Gujarat Desk27 April 2024 8:08 AM GMT
X
Connect Gujarat Desk27 April 2024 8:08 AM GMT
આપના નેતા સંજયસિંહે અંકલેશ્વરમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા સાથે પદયાત્રા કરી મતદારોને ચૈતર વસાવાને જીતાડવા અપીલ કરી હતી.
ચૂંટણી નજીક આવતા જ ભરૃચ જિલ્લામાં રાજકીય પક્ષોનો પ્રચાર વેગીલો બન્યો છે જેમાં રાષ્ટ્રિય નેતાઓ પણ હવે ઉતરી રહ્યા છે.જે અંતર્ગત અંકલેશ્વર રેલવે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ,પીરામણ નાકા સહિતના વિસ્તારોમાં આપના સાંસદ સંજયસિંહે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા તેમજ કોંગ્રેસ અને આપના અગ્રણીઓ સાથે પદયાત્રા કરી હતી.આ પદયાત્રા દરમ્યાન સંજયસિંહે વેપારીઓ અને દુકાનદારો સાથે પણ મુલાકાત કરી તેઓની સમસ્યા જાણી હતી.સંજયસિંહે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરવાં સાથે સુરતમાં ભાજપના ઉમેદવાર બિન હરીફ થવા મુદ્દે પણ આકરા પ્રહાર કર્યા હતા
Next Story