અંકલેશ્વર : ત્યજી દેવાયેલું નવજાત બાળક મળી આવતા ચકચાર, નિષ્ઠુર જનેતા સામે ફિટકાર...
નવજાત બાળકને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખસેડ્યું હતું.
BY Connect Gujarat23 March 2024 12:08 PM GMT
X
Connect Gujarat23 March 2024 12:08 PM GMT
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેરના ભરચક વિસ્તાર એવા રેલ્વે સ્ટેશન નજીકની ડીસન્ટ હોટલ પાસે આવેલી ITI નજીક નિષ્ઠુર જનેતા માત્ર દોઢ દિવસનું નવજાત બાળક ત્યજી ભાગી ગઈ હતી. જે નવજાત શિશુ ઉપર સ્થાનિક દુકાનદારની નજર પડતાં તેઓએ અન્ય લોકોને જાણ કરી હતી.
જોકે, 2 યુવાનોએ સ્થાનિક પોલીસની મદદ લઈ નવજાત બાળકને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખસેડ્યું હતું.
સમગ્ર મામલે અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસે બાળકના વાલી વારસની શોધખોળ આરંભી છે. તો બીજી તરફ, નવજાત બાળકને તરછોડી મુકનાર નિષ્ઠુર જનેતા સામે લોકોએ ફિટકાર વરસાવ્યો હતો.
Next Story