Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : ભારત ટ્રક એન્ડ ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસો.નું વાર્ષિક સંમેલન યોજાયું, વિવિધ મુદ્દે ચર્ચા કરાય...

X

ભારત ટ્રક-ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસો.નું વાર્ષિક સંમેલન યોજાયું

ટ્રાન્સપોર્ટરોને નડતી સમસ્યાઓના મુદ્દે વિસ્તૃત ચર્ચા કરાય

ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે સંકળાયેલા ટ્રાન્સપોર્ટરો રહ્યા વિશેષ ઉપસ્થિત

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નં. 48 પર આવેલ મહાદેવ હોટલ ખાતે ગત તા. 2 એપ્રિલના રોજ ભારત ટ્રક એન્ડ ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશન, અંકલેશ્વર-ભરૂચ-ગુજરાત દ્વારા એસોસિએશનના તમામ સભ્યો માટે વાર્ષિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતભરના રોડ ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા ટ્રાન્સપોર્ટરોને નડતી સમસ્યાઓ અને નીતિગત કાયદાઓની વિસંગતા સામે સુરક્ષા કવચ પૂરું પાડતા આ એસોસિએશનના ભરૂચ જિલ્લા એકમ દ્વારા ખાસ વાર્ષિક સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે ભારત ટ્રક એન્ડ ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશનના રાષ્ટ્રીય પ્રમુખ દેવેન્દ્રસિંહ નાગરા, રાષ્ટ્રીય સચિવ રવિ શેઠી, રાષ્ટ્રીય ઉપપ્રમુખ જય બલ્હારા, ભરૂચ જિલ્લા પ્રમુખ આલોક મિશ્રા, સેક્રેટરી બજરંગ સારસ્વત સહીત મોટી સંખ્યામાં ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે સંકળાયેલા ટ્રાન્સપોર્ટરો ઉપસ્થિત રહ્યા હતા.


Next Story