/connect-gujarat/media/post_banners/d32cc098defb52c564a6fef56fcc85b8e65b0157fa49fae2eddaaf34b2146a0d.jpg)
સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારત દેશની આઝાદી પર્વની પૂર્વ સંધ્યાએ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ખાતે ભારતીય જનતા પાર્ટી, અંકલેશ્વર નગર તથા ભારતીય જનતા યુવા મોરચા અંકલેશ્વર દ્વારા "અખંડ ભારત સ્મૃતિ દિવસ" નિમિત્તે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકરો અને આગેવાનો હાથમાં મશાલ લઇ GIDCમાં જોગર્સ પાર્કથી રેલી સ્વરૂપે નીકળી વિવિધ વિસ્તારોમાં ફરી હતી. ત્યારબાદ જવાહર બાગ ખાતે પહોચેલી મશાલ રેલીને સંપન્ન કરવામાં આવી હતી.
આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના રાજકોટના અગ્રણી વિનોદભાઇ પટેલ, જિલ્લા યુવા મોરચાના મહામંત્રી ધર્મેન્દ્ર પુષ્કરના અનીલ વસાવા વૈકુંઠ પટેલ સહિત મોટી સંખ્યામાં યુવા કાર્યકરોએ મશાલ રેલીમાં ભાગ લીધો હતો.