અંકલેશ્વર : શહેર ભાજપ યુવા મોરચા દ્વારા શહીદ દિવસની ઉજવણી, શહીદ સ્મારકે પુષ્પાંજલિ અર્પણ કરાય...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા જવાહર બાગ ખાતે શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

New Update
અંકલેશ્વર : શહેર ભાજપ યુવા મોરચા દ્વારા શહીદ દિવસની ઉજવણી, શહીદ સ્મારકે પુષ્પાંજલિ અર્પણ કરાય...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા જવાહર બાગ ખાતે શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

અંગ્રેજોના રાજમાં ભારતના વીર પુત્રોએ આઝાદીને મેળવવા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું હતુ. દર વર્ષે ત. 23 માર્ચના રોજ રાજગુરુ, ભગતસિંહ અને સુખદેવની સ્મૃતિમાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે અંકલેશ્વર શહેરના ભરુચી નાકા નજીક આવેલ જવાહર બાગ ખાતે અંકલેશ્વર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના શહીદ સ્મારકને પુષ્પાંજલિ સહ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા, અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નરેન્દ્ર પટેલ, ભાજપ યુવા મોરચાના પ્રમુખ દક્ષેશ મોદી, નગરસેવક સુરેશ પટેલ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાજપના કાર્યકરોએ વીર શહીદોને યાદ કર્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની ડ્રાઇવનો પ્રારંભ, ઢોર ડબ્બામાં 14 રખડતા ઢોર પુરાયા....

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.

New Update
stray cattlessss

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.

ભરૂચ સહિત અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ગઈ છે, ત્યારે રખડતા ઢોર મામલે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં રખડતા ઢોર પકડવાની ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. જેમાં ગાય અને વાછરડા સહિત 14 રખડતા ઢોરને ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહીડાની રાહબરી હેઠળ સેનીટેશન ખાતાના 4 સુપરવાઈઝર અને 1 મુકાદમ સહિત 5 શ્રમિકો દ્વારા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ, અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પશુ પાલકોને તાકીદ કરવામાં આવે છે કે, તમારા પશુઓને ઘરે બાંધીને રાખો અને એને જાહેર રસ્તા ઉપર રખડતા છોડવા નહીં. જો તઓને આપેલ સૂચનાનું પાલન કરવામાં આવશે નહીં, તો જે તે પશુપાલકો વિરુદ્ધ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Latest Stories