અંક્લેશ્વર:શહેર કોંગ્રેસનું કાર્યકર્તા સંમેલન યોજાયુ, મુમતાઝ પટેલ રહ્યા વિશેષ ઉપસ્થિત...
મુમતાઝ પટેલે હારના સમયે પણ કોંગ્રેસની વિચારધારાને વળગી રહેનાર કોંગી કાર્યકરોની સરાહના કરી
BY Connect Gujarat Desk10 Dec 2023 12:34 PM GMT
X
Connect Gujarat Desk10 Dec 2023 12:34 PM GMT
અંક્લેશ્વર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકર્તા સંમેલનનું આયોજન સનત રાણા હોલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં એઆઇસીસી ડેલીગેટ અને અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.અંકલેશ્વરના સનત રાણા હોલ ખાતે આયોજિત અંક્લેશ્વર શહેર કોંગ્રેસ કાર્યકર્તા સંમેલનમાં પ્રદેશ કોંગ્રેસના સંદીપ માંગરોલા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા સહિત અન્ય અગ્રણીઓએ કાર્યકર્તાઓને નવાવર્ષની શુભેચ્છા પાઠવવા સાથે આગામી લોકસભા ચૂંટણી માટે સજજ થઇ ભરૃચ બેઠકની ભેટ આપવા આહવાન કર્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત મુમતાઝ પટેલે હારના સમયે પણ કોંગ્રેસની વિચારધારાને વળગી રહેનાર કોંગી કાર્યકરોની સરાહના કરી આગામી દિવસોમાં ઘર ઘર અને જન જન સુધી તે પોહચવા આહવાન કર્યું હતું.
Next Story