New Update
![અંકલેશ્વર: પર્યાવરણ બચાવોના સંદેશ સાથે UPથી યુવાનની સાયકલ યાત્રા](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/connect-gujarat/media/post_banners/dc3413f238c22be6364d58c008dec02e4ecea1ab8203fd7dc878265abc62ad0e.jpg)
પર્યાવરણ બચાવોના સંદેશ સાથે યુપીના જૌનપુરથી નીકળેલ સાઇકલ યાત્રી આજરોજ અંકલેશ્વર ખાતે આવી પહોંચતા આદિવાસી યુવાનોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું
યુપીના જૌનપુર ખાતે રહેતા કરણરાજવીર ત્રણ મહિના પહેલા પર્યાવરણ બચાવોના સંદેશ સાથે પોતાના ઘરેથી સાઇકલ યાત્રા ઉપર નીકળ્યા છે.જેઓ યુપી,હરિયાણા,પંજાબ,ઉત્તરાખંડ,જમ્મુ-કશ્મીર,હિમાચલ પ્રદેશ અને રાજસ્થાન,મધ્ય પ્રદેશ થઈ આજરોજ અંકલેશ્વર ખાતે આવી પહોંચતા આદિવાસી યુવાનોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું.આ સાઇકલ યાત્રીએ ગ્લોબલ વોર્મિંગ પાછળ જંગલો ઓછા થવાથી બદલાવ આવ્યો હોવાનું જણાવી આવનાર સમયમાં એક વ્યક્તિ 5 વૃક્ષોનું વાવેતર કરે તેવી અપીલ કરી હતી.
Latest Stories