Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : ખ્વાજા ગરીબ નવાઝ મોઈનુદ્દીન ચીશ્તી અજમેરી ઉપર ટિપ્પણી કરનાર સામે કાર્યવાહીની માંગ...

ભરૂચ જીલ્લાના અંકલેશ્વરમાં સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ મામલતદાર કચેરી ખાતે એક આવેદન પત્ર આપ્યું હતું.

X

ખ્વાજા ગરીબ નવાઝ મોઈનુદ્દીન ચીશ્તી અજમેરી ઉપર ટિપ્પણી કરનાર આચાર્ય યોગેશ ભારદ્વાજ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

ભરૂચ જીલ્લાના અંકલેશ્વરમાં સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ મામલતદાર કચેરી ખાતે એક આવેદન પત્ર આપ્યું હતું. આવેદન પત્રમાં જણાવ્યું હતું કે, ઈસ્લામ ધર્મના અજમેર શરીફના જાણીતા સુફી સંત અને ધર્મોપદેશક હજરત ખ્વાજા મોઈનુદ્દીન ચીશ્તી તેમના માટે વિશેષ છે, ત્યારે ખ્વાજા ગરીબ નવાઝ મોઈનુદ્દીન ચીશ્તી અજમેરી ઉપર ટિપ્પણી કરતો અને મુસ્લિમ સમુદાયની લાગણી દુભાય તેવો વિડિયો આચાર્ય યોગેશ ભારદ્વાજ દ્વારા સોશિયલ મીડિયામાં અપલોડ કરી વાયરલ કરવામાં આવ્યો છે, ત્યારે સમગ્ર મામલે મુસ્લિમ સમાજમાં આચાર્ય યોગેશ ભારદ્વાજ વિરુદ્ધ રોષ ભભૂકી ઉઠ્યો છે. આ સાથે જ સોશ્યલ મીડિયામાંથી આ વાંધાજનક વિડીયો દૂર કરવામાં આવે તેમજ આચાર્ય યોગેશ ભારદ્વાજ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Next Story