અંકલેશ્વર : કડવા પાટીદાર સમાજના ઉત્થાન માટે આવતીકાલે સૌપ્રથમ વાર યોજાશે ભવ્ય સ્નેહ મિલન સમારોહ...
અંકલેશ્વર કડવા પાટીદાર સમાજ દ્વારા સ્નેહ મિલન સમારોહની તૈયારીના ભાગરૂપે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
BY Connect Gujarat Desk7 Jan 2023 10:54 AM GMT
X
Connect Gujarat Desk7 Jan 2023 10:54 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર કડવા પાટીદાર સમાજ દ્વારા સ્નેહ મિલન સમારોહની તૈયારીના ભાગરૂપે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ભરૂચ જિલ્લા સંગઠન કડવા પાટીદાર સમાજ દ્વારા સૌપ્રથમ વાર ભવ્ય સ્નેહ મિલન સમારોહનું આગમી તા. 8ની જાન્યુઆરી રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ ગોકુલ પાર્ટી પ્લોટ નજીક આયોજિત કડવા પાટીદાર સમાજના સ્નેહ મિલન સમારોહની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે, ત્યારે આજરોજ સ્નેહ મિલન સમારોહની વધુ માહિતી આપવા હેતુ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કડવા પાટીદાર સમાજના ઉત્થાન અને શ્રમયજ્ઞમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનોને ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.
Next Story